રાષ્ટ્રીય

શ્રીનગરના રૈનાવારીમાં લશ્કર-એ-તૈયબાના ૨ આંતકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે. બીજી બાજુ, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને લશ્કર-એ-તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકવાદીઓ હતા. એમ પણ કહ્યું કે બંને નાગરિકોની હત્યા સહિતની તાજેતરની ઘટનાઓમાં પણ સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓની બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ઓળખ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી વસીમ અહેમદ ગનાઈ અને ઈકબાલ અશરફ શેખ તરીકે થઈ છે. તેમની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, ૧૨ પિસ્તોલ રાઉન્ડ અને ૩૨ એકે-૪૭ રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં શનિવારે એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને તેમના ભાઈની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ એસપીઓ ઈશ્ફાક અહેમદની તેમના ઘર પાસે ગોળી મારીને હત્યા કરી હતી. ફાયરિંગની ઘટનામાં અહેમદના ભાઈ ઉમર જાનને પણ ગોળી વાગી હતી અને તેને બેમિનાની જીદ્ભૈંસ્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે રવિવારે સવારે તેની ઈજાઓથી દમ તોડ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ભારત સરકાર અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારો, ૨૦૧૮માં ૪૧૭ આતંકવાદી ઘટનાઓ ઘટાડીને ૨૦૨૧માં ૨૨૯ અને ૨૦૧૮માં શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા ૯૧થી ઘટાડીને ૨૦૨૧માં ૪૨ કરવાની પ્રશંસા કરી હતી. અમિત શાહે આતંકવાદીઓને આર્તિક રીતે મદદ કરતા તત્વોને પણ ખુલ્લા પાડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.

Related Posts