બોટાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે આરંભ થતા નવા વર્ષ કાર્તિક શુક્લ એકમ બેસતા વર્ષનાં દિવસે જ્ગ્યાની ઉજ્વળ પરંપરા અનુસાર ભગવાનશ્રી રાઘવેન્દ્ર સરકાર અને પાળિયાદ ઠાકર ઠેકાણે સમાધિ સ્થાનનાં મહંતોનાં દેવળ સમક્ષ ૧૦૧ વાનગીઓનો મહાભોગ ધરાવાયો હતો. પરમપૂજ્ય શ્રી વિહળાનાથની કૃપાથી જ્ગ્યાનાં મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનાંઆશીર્વાદ સાથે પૂજ્ય શ્રી ભયલુબાપુ ની નિશ્રામાં ભગવાનને અન્નકૂટ ધરાવવાનો આ કાર્યક્રમ સંપન્ન થયો. શ્રી જયંતિભાઈ નરશીભાઈ મેઘાણી મુ. ખસ, હાલ – અમદાવાદ તેમજ શ્રી શિવરાજભાઈ બહાદુરભાઈ ખાચર તથા રાજુભાઇ શિવરાજભાઈ ખાચર (એડવોજેટએન્ડ નોટરી) મુ. તુરખા અને સ્વ. દયાળભાઈ સુખાભાઈ કળથીયા તથા સહપરિવાર મુ. બોટાદ એ યજમાન તરીકે સેવા આપેલ હતી. શ્રી વિહળ પરિવાર સેવક સમુદાય આ કાર્યક્રમમાં જોડાયો.
શ્રીવિહળાનાથ ની જ્ગ્યા નાં મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ની નિશ્રામાં રાઘવેન્દ્ર સરકાર ૧૦૧ વાનગી નો અન્નકૂટ મહાપ્રસાદ

Recent Comments