શ્રી આંબરડી ઉ.માં.શાળામાં એસ.એસ.સી. અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓનો ૩૬ મો વિદાય સમારંભ અને સમગ્ર શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. પ્રારંભમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત સ્કૂલના હિન્દી વિષયના શિક્ષક જે.પી.પાનસુરીયાએ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કેપ્ટન ભાવિનભાઈ અજમેરાના સ્વર્ગસ્થ પિતાજી મનહરલાલ પ્રાણલાલ અજમેરાના સૌજન્યથી આ વર્ષના વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા. દર વર્ષની જેમ ગામના આગેવાન અને શાળા પરિવાર સાથે જોડાયેલ ગિરધરભાઈ પાંચાણી તરફથી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને જલેબી અને ફાફડીનો નાસ્તો આપવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત સ્કૂલના મેનેજીગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણી ,બાબુભાઇ માલાણી, ચતુરભાઈ માલાણી, જયસુખભાઈ કસવાળા,ગિરધરભાઈ પાંચાણી, લાલભાઈ મોર,શરદભાઈ ગૌદાની,કમલેશભાઈ શેખડા,અમારા ભૂતપૂર્વ સેવક ભીખાદાદા ગોર,તેમજ સૌ ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટીઓ અને મહેમનોનો આભાર સ્કૂલના પ્રિન્સિપાલ એમ.ડી.માલવિયાએ માન્યો હતો.
શ્રી આંબરડી મા. અને ઉ. મા. શાળાનો ધોરણ ૧૦ અને ૧૨નો વિદાય સમારંભ યોજાયો.

Recent Comments