વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ 16 થી 22 નવેમ્બર 2023 સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલા દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિર થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ દાદા ના શતામૃત મહોત્સવ નું આમંત્રણ આપતા હોય તેવી ભાવના સાથે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં ફરશે. આ રથ સમગ્ર અમરેલી જિલ્લામાં સાત દિવસ દરમિયાન ફરવાનો હોય તે અંતર્ગત આજરોજ દાદા નો દિવ્ય રથ સાવરકુંડલા મુકામે પધારેલ. આ દિવ્ય રથનું સાવરકુંડલા ખાતે આગમન થતા જ શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ ભાવભર ઉમળકા સાથે સ્વાગત કર્યું અને ઘર આંગણે જ શ્રી કષ્ટભંજન દેવના દર્શન થતાં ધન્યતા અનુભવી હતી. સાવરકુંડલાના દરેક વિસ્તારમાં આ રથ પસાર થયેલ અને લોકોને દર્શન લાભ આપેલ. આગામી દિવસોમાં આ યાત્રા સમગ્ર અમરેલી જિલ્લામાં ફરવાની છે
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ના આમંત્રણ રથની સાવરકુંડલામાં પધરામણી થતા ભાવિક ભક્તોએ ભાવથી દર્શન કર્યા…

Recent Comments