ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત શ્રી ખોડલધામ મંદિર – નેસડી (સાવરકુંડલા) મંદિરનાં મહંત પુજ્ય શ્રી લવજીબાપુ નાં નેતૃત્વમાં ચાલતી શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન તા. ૨૦-૧૧-૨૦૨૩ નાં રોજ પુજ્ય શ્રી લવજીબાપુ દ્વારા દર્દીનારાયણ નાં લાભાર્થે રૂા. ૫૧૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર પુરા નો ચેક હોસ્પિટલનાં મંત્રીશ્રી-બી. એલ. રાજપરા ને અર્પણ ક૨વામાં આવેલ. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ મહંત પુજ્ય શ્રી લવજીબાપુનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”
શ્રી ખોડલધામ મંદિર – નેસડી મહંત પુજ્ય શ્રી લવજીબાપુ દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને રૂા. ૫૧૦૦૦ નું અનુદાન

Recent Comments