શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા વળાવડ ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ થયો છે. કાર્યક્રમનો અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના મોભી રહેલાશ્રી લાલજીભાઈ નાકરાણી આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રહ્યા હતા અને શિક્ષણ સાથે ગામડા માટે સૌએ જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. તેઓએ શિબિરના વિષય માર્ગ સલામતી અંગે સમજ કેળવવા વિદ્યાર્થીઓને જણાવ્યું.
સિહોર પાસેના વળાવડ ગામે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘માર્ગ સલામતી’ વિષય સાથે શિબિર પ્રારંભ થયો છે, જે પ્રસંગે અગ્રણીશ્રી સૂરાભાઈ કરમટિયા, લોકશાળાના આચાર્યશ્રી વાઘજીભાઈ કરમટિયા, કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી અમિનભાઈ ચૌહાણ તથા પ્રાથમિક શાળા આચાર્યશ્રી પદમાબેન મારવાડી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાતા અગ્રણીઓશ્રી વિનુભાઈ મહેતા તથા શ્રી બાબાભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments