શ્રી જલારામબાપાની ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી જલારામબાપાની અસીમ કૃપાથી બાપાના ૨૨૨માં પ્રાગટ્યદિને સતત ૨૭માં વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાવિભક્તો એકત્રિત થઈને બાપાની આરતી તેમજ સૌ કોઈ સાથે પ્રસાદીનો લ્હાવો લેશે આ સમગ્ર કાર્યકર્મનું આયોજન નામી અનામી દાતાઓ અને સ્વ. ઉષાબેન ગોવિંદભાઈ ઠક્કર (હરિયાણી) પરિવારના સ્નેહવંદન દ્વારા કરવામાં આવ્યું છે આ ભંડારો છેલ્લા ૨૭ વર્ષથી સતત કાર્યશીલ છે અને તમામ જલારામ ભક્તો માટે આ ભંડારો રાખવામાં આવે છે.
શ્રી જલારામ બાપાના ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે આ વર્ષે સવારે ઉદ્ઘાટન અને આરતી ૮ઃ૩૦ કલાકે રાખવામાં આવી હતી ત્યારે બાદ બપોરે આરતી અને ભંડારો ૧૨ કલાકે કરવામાં આવે છે અને રાત્રીના સમયે ૯ થી ૧૨ શ્રમજીવી બહેનોના ભજન નો કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમનો સ્થળ ૐ કારેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ આઈસ્ક્રીમના ખાંચામાં, બગીચા પાસે, વલ્લભ વિદ્યાનગર ખાતે રાખેલ જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો એકત્રિત થયા હતા. અને સૌ કોઈએ ભંડારાનો લાભ લીધો હતો.
Recent Comments