દામનગર પી.એમ.શ્રી દામનગર પે.સેન્ટર શાળા નંબર 2 ( શ્રી નર્મદાબેન માધવરાય સવાણી શાળા) માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીનું સજીવસૃષ્ટિમાં મહત્વ અને પ્રાણીજીવનનું માનવીય જીવનમાં મહત્વ વિષય પર સુંદર સમજ આપવામાં આવી હતી.આવો સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ એવો સુંદર સંદેશ બાળકોને આપવામાં આવ્યો હતો.આ તકે જીવદયાની પ્રવૃત્તિ કરી રહેલા બાળકોને પ્રોત્સાહન રૂપે વિવિધ ઇનામ પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વેપારી અને સામાજિક અગ્રણી સંજયભાઈ તન્ના ઉપસ્થિત રહ્યા અને બાળકોને સત્કાર્યનું માનવીય જીવનમાં મહત્વ વિષય પર સમજ આપી હતી તેમજ શાળાના આચાર્ય લાભેશભાઇ રાશિયાએ પણ બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.આજના દિવસે ધોરણ 8 નાં વિદ્યાર્થીઓએ સ્મૃતિરૂપે શાળાને સુંદર ભેટ પણ અર્પણ કરી હતી.વિશ્વ ચકલી દિવસ નિમિતે શાળા પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું.
શ્રી નર્મદાબેન માધવરાય સવાણી શાળા માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી

Recent Comments