ભાવનગર

શ્રી પરશુરામજી જન્મોત્સવ સણોસરા થશે ઉજવણી

શ્રી પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા થશે ઉજવણી શોભાયાત્રા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ દ્વારા આયોજન ઈશ્વરિયા ગુરુવાર તા.૯-૫-૨૦૨૪ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શુક્રવારે શ્રી પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ઉજવણી થશે. આ પ્રસંગે શોભાયાત્રા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ દ્વારા આયોજન થયું છે. શુક્રવારે અક્ષય તૃતિયા શ્રી પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થનાર છે. સણોસરા પંથક સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા થયેલાં આયોજન મુજબ શોભાયાત્રા, ધર્મસભા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ કાર્યકર્તાઓનું સંકલન રહ્યું છે, જેમાં આજુબાજુનાં ગામો જોડાનાર છે.

Related Posts