અમરેલી

શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭ માધવાણીનીવાડી  શિવાજી નગર સા.કુંડલા ખાતે ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો. 

તા.૨૩-૩-૨૩ને શનિવારનાં રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર સાતનાં  વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત  નાટિકા ,દેશભક્તિ ગીત, વ્યવસાય કરો વિશે,ચોરી ક્યારેય નાં કરવી વિશે ખૂબ સરસ નાટક રજૂ કરવામાં આવ્યુંભારતીય સંસ્કૃતિ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા. ખાસ તો  ધો. ૮ નાં વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થઈને અહીંથી વિદાય લે ત્યારબાદ તે કોઈ પણ સ્કૂલમાં ધો. નવમાં એડમિશન જરૂર લે અને આગળ અભ્યાસ કરે ભવિષ્યમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે એ સંદર્ભે  શાળા પરિવાર તરફથી માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યક્રમનાં અંતે દરેક બાળકોને સમૂહમાં પાઉંભાજી  ખવરાવવામાં આવી શાળાના દરેક કાર્યક્રમમાં બાળકો ખૂબ ઉત્સાહથી સામેલ થાય છે તે બદલ શાળા પરિવાર તરફથી તમામને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાઠવવામાં આવ્યાં હતાં

Related Posts