અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પૂજ્ય સીતારામ બાપુ નો દિવ્ય સતસંગ યોજાયો

દામનગર મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મોટા ગોપનાથ ગાદીપતિ બ્રહ્મચારી જગ્યા ના મહંત પૂજ્ય સિતરામબાપુ શિવકુંજ આશ્રમ નો દિવ્ય સતસંગ યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં પૂજ્ય સંત શ્રી રામેશ્વરાનંદમયીજી પૂજ્ય વરૂણાનંદમયીજી ના મધુર કંઠે સુંદરકાંડ એવમ ચાલીશ પઠન ધૂન સાથે સીતારામબાપુ નું દિવ્ય પ્રવચન યોજાયો ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારો ના શ્રધ્ધાળુ ભાવિકો એ ધર્મલાભ મેળવ્યો હતો મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પૂજ્ય સીતારામબાપુ ના દિવ્ય સતસંગ થી સેવક સમુદાય માં ખુશી વ્યાપી હતી ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની ઉપસ્થિતિ જોવા મળી હતી

Related Posts