શ્રી મંદિર પુજારી મહાસભા ગુજરાત ના સંગઠનમાં જોડાવા દરેક મંદિરના પુજારીઓને અતુલપુરી ગોસાઈ ની હાકલ
સનાતન સંસ્કૃતિ,પરંપરા વૈદિક અને ભારતીય સંસ્કૃતિ તેમજ સમગ્ર હિન્દુ દેવી દેવતાઓના પવિત્ર દેવસ્થાનોની પુજા અને દેખભાળ કરી રહેલા પવિત્ર અને હિન્દુ ધર્મના તમામ દેવસ્થાનોના પુજારીઓને આ સંગઠનમાં જોડાવાની સાધુ સમાજના યુવા કાર્યકરો અતુલપુરી ગોસાઈ અમરેલી અને રાજકોટના શૈલેષ કાપડીએ હાકલ કરી છે. મંદિરો અને પુજારીઓના અનેક પ્રશ્નો ઉદભવેલા છે જેની ચર્ચા કરવા હેતુ સૌ પ્રથમ સંગઠન તૈયાર કરવા હાકલ કરી છે
અને ત્યારબાદ ચીંતન શિબિરનું આયોજન કરવામાં આવશે ક્યાં ક્યાં પ્રશ્નો છે એની ઉપર ચર્ચા થશે.
“સંઘ શક્તિ કલિયુગે” આ સુત્રને ધ્યાનમાં રાખીને સંગઠન બનાવવુ જરૂરી હોય એક વાત કરીએ તો શિવાલયો,રામજી મંદિર, ઠાકોરજી મંદિર, હનુમાનજી મંદિર કે દેવી દેવતાઓના તમામ મંદિરો દેવસ્થાનોના પુજારીઓનુ હવેના સમયમા પુજાપાઠ કરવાથી ભરણ પોષણ થતુ નથી અને મંદિરોના દિવાબતીના ખર્ચ પણ નિકળતા નથી દેવસ્થાનોના નિભાવ ખર્ચની તો વાત જ ક્યાં કરવી માટે પુજારી માટે પણ અલગ લાભો મળે અને મંદિર પ્રબંધક સમિતિ કે દેવસ્થાન બોર્ડની રચના થાય એવા હેતુથી આ સંગઠન બનાવ્યું છે. દરેક દેવસ્થાનના પુજારીઓ આગળ આવી અને સ્વેચ્છાએ શ્રી મંદિર પુજારી મહાસભા ગુજરાતના આ સંગઠનમાં જોડાઈ અને આ સંગઠને મજબૂત બનાવે તેવી દશનામ સાધુ અને સમસ્ત સાધુ સમાજના યુવા કાર્યકર અતુલપુરી ગોસાઈએ હાકલ કરી છે.
Recent Comments