અમરેલી

શ્રી રામનવમી ના પાવન પર્વ ના દિવસે ધજડી ગામમા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન

રામનવમી ના રોજ  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે ધજડી ગામમા નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

આ કેમ્પમા ધજડી ગામ તથા આજુબાજુના ગામ ના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો.
કેમ્પ માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ માંથી વાણીયા સાહેબ,શ્રી રાકેશસિંઘ સાહેબ,શ્રી અઘેરા સાહેબ, શ્રી અંકુર પટેલ સાહેબ,શ્રી મનીષ સિસારા સાહેબ ડો. દર્શના શિયાળ,ડો. સમીર સોલંકી ના ઓએ સેવા આપેલ.સાથે કેમ્પ ને સફળ બનાવવા સહયોગી  સ્ટાફ તરીકે શ્રી કૃષાંગભાઈ ,શ્રી કલ્પેશભાઈ, શ્રી રજનીશભાઈ એ સહકાર આપેલ.
કેમ્પ દરમિયાન ધજડી ગામના જ વતની (હાલ સુરત માં અગ્રણી ઉદ્યોગપતિ) તથા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સંસ્થા સાથે તન મન ધન થી જોડાયેલા વડીલ મુરબી અને દાનવીર કર્ણ એવા શ્રી મગનભાઈ શ્રોફ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત થયેલ તથા તેમના આશીર્વચન મેળવેલ.

કે કે હાઈસ્કૂલ ના પ્રિન્સિપલ સાહેબ શ્રી જેન્તિભાઈ ખડદીયાએ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ની નિશુલ્ક માનવીય સેવા બદલ ખૂબ આભાર માનેલ તથા શુભેચ્છા આપેલ.

Related Posts