બોટાદ સૌરાષ્ટ્ર ની વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે આજ રોજ શ્રી શિવશક્તિ શ્યામ સેવા મંડળ – અમદાવાદ ના સંચાલક અધ્યક્ષ શ્રી રમેશભાઈ હાડા તેમજ મંત્રી શ્રી શંકરલાલજી ચાચન દ્વારા શરૂ થયેલ નવા વર્ષ ના પ્રથમ દિવસે બેસતા વર્ષ ના દિવસે તા.૧૪/૧૧/૨૦૨૩ નાં રોજ ૨૪ કલાક સુધી રામાયણ ના પાઠ ચાલુ કરવામાં આવેલ હતાં…આ રામાયણ ના પાઠ નિમિતે ભવ્ય પોથીયાત્રા નો પ્રારંભ બપોરે ૦૪ : ૦૦ કલાકે કરવામાં આવેલ હતો…વિહળધામ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા અને પૂજ્ય શ્રી દિયાબા જોડાયા હતા અને આજ રોજ તા.૧૫/૧૧/૨૦૨૩ ના આજ રોજ આ કાર્યક્ર્મ પૂર્ણ થયો હતો…રામાયણ જ્યાં ધરબાયેલી છે એવી પવિત્ર જગ્યા માં આવતા દર્શનાર્થી શ્રદ્ધાળું ભાવિક ભક્તો તેમજ જગ્યાના સેવક સમુદાય દ્વારા ખુબ સારો ને સુંદર લાભ લીધેલ હતો…
શ્રી વિહળધામ ખાતે ૨૪ કલાક સુધી રામાયણ પાઠ નિમિતે ભવ્ય પોથીયાત્રા નો પ્રારંભ

Recent Comments