ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા પર્વ શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન જાળિયા બુધવાર તા.૧૭-૭-૨૦૨૪ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. શ્રી ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન થયેલ છે. વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ સાથે પર્યાવરણ માટે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજનો થતાં રહે છે. આગામી રવિવારનાં અહી ગુરુપૂર્ણિમા પર્વ ઉજવણી થશે. શ્રી ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે સવારે ગુરુપૂજન વંદના થશે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન સાથે વિશેષ પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. અહીંયા ભાવિકો અને સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદ અને પૂજન દર્શન લાભ લેવાશે.

Related Posts