ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ યજ્ઞો

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે યોજાયા યજ્ઞોશ્રી વિશ્વનાંનંદ માતાજીના સાનિધ્યમાં ધાર્મિક સામાજિક આયોજનો થયાંજાળિયા શુક્રવાર તા.૧૫-૯-૨૦૨૩પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞો યોજાયા હતા. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં અહી ધાર્મિક સામાજિક આયોજનોમાં આશ્રમ પરિવાર જોડાયેલ.શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસમાં સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞો યોજાયા હતા. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં અહીંયા મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક તથા ભૈરવયાગ રાખવામાં આવેલ. આ દરમિયાન જાળિયા ગામ ધુમાડો બંધ રાખી સમૂહ ભોજન પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ કલ્યાણ અર્થે  યોજાયેલા આ યજ્ઞો સાથે બટુક ભોજન તેમજ સત્સંગ વગેરેમાં જાળિયા ગામ ઉપરાંત ઉમરાળા વિસ્તાર સહિત પૂરા પંથક અને ભાવનગર, અમરેલી, અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ સહિતના ભાવિકો યજ્ઞ પૂજન દર્શન માટે પહોંચ્યા હતા.અહીંના આ વિવિધ ધાર્મિક સામાજિક આયોજનોમાં આશ્રમ પરિવાર ભાવ અને ઉત્સાહ સાથે જોડાયેલ.

Related Posts