રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે માવઠાથી પાક નુકસાની મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન બચુ ખાબડે, વહેલી તકે પાક નુકસાનીના સરવેની વાત કરી હતી અને નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બચુ ખાબડે દાવો કર્યો કે ભાજપ સરકાર પહેલાથી જ ખેડૂતોને ચિંતા કરતી આવી છે. મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે.
સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોની પડખે ઉભી છે : મંત્રી બચુભાઈ ખાબડમાવઠાંથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે


















Recent Comments