ધર્મ દર્શન

સંતાનના તમામ કષ્ટો દુર કરવા માટે બન્યો આ ખાસ સંયોગ, આ રીતે કરો ભગવાન કાર્તિકેટની પૂજા….

સ્કંદ ષષ્ઠી વ્રત ચૈત્ર શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ રાખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પણ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે, તેથી આ વ્રતનું નામ સ્કંદ ષષ્ઠી રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વ્રતને સંતાન ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે સ્કંદ ષષ્ઠી વ્રત 7 એપ્રિલે મનાવવામાં આવશે. સ્કંદ ષષ્ઠીનું વ્રત પરિવારમાં સુખ-શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે પણ વિશેષ છે. ચાલો જાણીએ સંત ષષ્ઠી વ્રત વિશે.

સ્કંદ ષષ્ઠી વ્રતનો શુભ સમય
પંચાંગ અનુસાર ચૈત્ર શુક્લ ષષ્ઠી તિથિ 6 એપ્રિલે સાંજે 6.04 કલાકથી શરૂ થઈ રહી છે. બીજી તરફ ષષ્ઠી તિથિ 7 એપ્રિલે રાત્રે 8.32 કલાકે પૂર્ણ થશે. ઉદય તિથિ હોવાથી સ્કંદ ષષ્ઠીનું વ્રત 7 એપ્રિલે રાખવામાં આવશે.

સ્કંદ ષષ્ટિ વ્રતની રીત
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ પછી ભગવાન કાર્તિકેયનું ધ્યાન કરતી વખતે સંકલ્પ કરો. ત્યારબાદ પૂજા સ્થાન પર દેવી પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરો. આ પછી ભગવાન કાર્તિકેયની પૂજા કરો. તેમની પૂજા દરમિયાન સૌથી પહેલા તેમને જળ ચઢાવો. આ પછી ફૂલ, માળા, ફળ વગેરે અર્પણ કરો. પછી તમારી શ્રદ્ધા પ્રમાણે ભોગ ચઢાવો. અંતમાં ધૂપ, દીપ પ્રગટાવીને મંત્રનો જાપ કરો.

મંત્ર
देव सेनापते स्कंद कार्तिकेय भवोद्भव
कुमार गुह गांगेय शक्तिहस्त नमोस्तुते

વિશેષ ઉપાય
જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા તમને કરિયરમાં ઈચ્છિત સફળતા ન મળી રહી હોય તો કાર્તિકેયની પૂજામાં તેમને મોરનું પીંછુ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સંતાન અને કરિયર સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.

પરિવારમાં સુખ-શાંતિ માટે પણ સ્કંદ ષષ્ઠી ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને નારિયેળ ચઢાવવાથી પરિવારમાં સુખ અને શાંતિ આવે છે.

Related Posts