અમરેલી

સગર્ભા બહેનો માટે નો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો

કુંઢેલી ગામે સગર્ભા બહેનો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયોપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંઢેલી ખાતે 67 બહેનોની સદવિચાર હોસ્પિટલ તળાજાના નિષ્ણાંત તબિબ ડૉ.શરદભાઈ પંડ્યા અને ટીમ દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને લોહીના ટકાની તપાસ કરી આપવામાં આવી હતી.

તેમજ પ્રસુતિ દરમિયાન કાળજી તથા યોગ્ય સારવાર માટે સમજ આપવામાં આવી હતી. આ ફ્રી નિદાન કેમ્પ દરમિયાન 67 બહેનોની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તેમજ આશા વર્કર બહેનો, RBSK ટીમ અને તમામ સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

Related Posts