ભાવનગર

સણોસરાની લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું, વૃક્ષોનો સોથ વળી ગયો તેમજ મિલકતને પણ નુકસાન

સણોસરાની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનું સૌંદર્ય વાવાઝોડાએ હણી લીધું છે. અહીં વૃક્ષોનો સોથ વળી ગયો છે તેમજ કેટલીક મિલકતને પણ નુકસાન થયું છે.લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ ભારે પિડા સાથે જણાવ્યુ હતુ કે, વર્ષો પહેલાના મોટા વૃક્ષો મૂળમાંથી આ વાવાઝોડાએ ઉખાડી નાખ્યા છે. અહીંયા છેલ્લે ૧૯૮૨ના વર્ષમાં આવેલા વાવાઝોડા કરતા વધુ વૃક્ષોનો વિનાશ થયો છર.કૃષિ અને બાગાયત વિભાગમાં નાના મોટા ઝાડ છોડ નીકળી જવા પામ્યા છે. અહીંયા કેટલાક મકાનો તેમજ અન્ય મિલકતો પર ઝાડ પડવાથી નુકસાન થયું છે. નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી અને સાથી કાર્યકર્તાઓએ આ વિશાળ સંસ્થામાં વાવાઝોડાથી થયેલા નુકસાન સંદર્ભે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધેલ છે, પરંતુ હવે આ ગ્રામવિદ્યાપીઠનું પ્રાકૃતિક સૌંદર્ય પાછું લાવવું કઠિન છે.

Related Posts