ભાવનગર

સણોસરામાં બુધવારે શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ધર્મસભા

શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં બુધવારે યોજાશે શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ધર્મસભાધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સન્માન સાથે શ્રી નીરુબાપુનું થશે અભિવાદનઈશ્વરિયા સોમવાર તા.૬-૧૧-૨૦૨૩શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં બુધવારે શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ધર્મસભા યોજાશે. અહી ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સન્માન સાથે શ્રી નીરુબાપુનું અભિવાદન થશે.

ભાવનગર જિલ્લાના સણોસરામાં શ્રી દાનેવ આશ્રમ ખાતે શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થનાર છે. અહીંયા બુધવાર સવારે ૯-૩૦ કલાકે સન્માન સાથે ધર્મસભા યોજાશે. 

ભારત વર્ષના સનાતન ધર્મ ધરોહર રહેલ આદિ શંકરાચાર્યજી સ્થાપિત શ્રી શારદાપીઠ દ્વારકાના વર્તમાન શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભા તથા આશ્રમ દ્વારા સન્માન માટે આ પંથકમાં ભારે ભાવ ઉત્સાહ રહેલો છે. અહીંયા આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નીરૂબાપુ દ્વારા બાર વર્ષ માટે આશ્રમ બહાર ન નીકળવાના ભગવત સંકલ્પ અને તે સાધનાના ભાગ રૂપે બુધવારે આ ધર્મસભામાં વિશેષ અભિવાદન યોજાનાર છે, જેમાં અન્ય ધર્માચાર્યો મહાનુભાવો પણ સાથે જોડાશે. સણોસરા ગામ ઉપરાંત આસપાસના ભાવિક સેવકોને લઘુમહંત શ્રી પ્રવીણબાપુ દ્વારા આ લાભ લેવા જાહેર નિમંત્રણ અપાયું છે.

Related Posts