ગુજરાત

સતત બીજા વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણીને કોરોનાનું ગ્રહણ

કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા ભચાઉમાં યોજાનાર જીલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમને ગ્રહણ નડયું હતું. અધિક નિવાસી કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ સમર્થન આપતા જણાવ્યું હતું કે કોરોના બેકાબુ બનતા આ વર્ષે પણ જીલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભુજની લાલન કોલેજમાં જ યોજાશે. ગતવર્ષેપણ કોવિડના કારણે અન્ય તાલુકામાં યોજાનાર કાર્યક્રમ અંત સમયે રદ્દ કરી ભુજમાં જ યોજવામાં આવ્યો હતો.

આવતીકાલે ૨૬મી જાન્યુઆરીએ ભુજની લાલન કોલેજમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા રાષ્ટ્રધ્વજ લહેરાવશે. ૧૫૦ જેટલા મર્યાદિત આમંત્રીતો જ પર્વમાં ભાગ લેશે તેવું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

Related Posts