કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા ભચાઉમાં યોજાનાર જીલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમને ગ્રહણ નડયું હતું. અધિક નિવાસી કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ સમર્થન આપતા જણાવ્યું હતું કે કોરોના બેકાબુ બનતા આ વર્ષે પણ જીલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભુજની લાલન કોલેજમાં જ યોજાશે. ગતવર્ષેપણ કોવિડના કારણે અન્ય તાલુકામાં યોજાનાર કાર્યક્રમ અંત સમયે રદ્દ કરી ભુજમાં જ યોજવામાં આવ્યો હતો.
આવતીકાલે ૨૬મી જાન્યુઆરીએ ભુજની લાલન કોલેજમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા રાષ્ટ્રધ્વજ લહેરાવશે. ૧૫૦ જેટલા મર્યાદિત આમંત્રીતો જ પર્વમાં ભાગ લેશે તેવું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
Recent Comments