સાવરકુંડલામાં પ.પૂ. ઉષા મૈયા ના આશીર્વાદ થી ચાલતું સદભાવના ગ્રુપ છેલ્લા ૨૧ વર્ષથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. તેના લાભાર્થે ૧૫ વર્ષથી સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવ નું આયોજન કરે છે. ગઈ રાત્રે પરમ પૂજ્ય ઉષા મૈયાના તથા સાધુ સંતોના સાનિધ્યમાં દાદા ને ચાલુ વરસાદે હજારો લોકો દ્વારા મહા આરતી ઉતારવામાં આવી. મહા આરતી દરમિયાન દર્શનાર્થીઓ દ્વારા ઘરેથી આરતીની થાળી તૈયાર કરી લાવેલ તેને કુપન આપવામાં આવેલ અને આ કુપન નો પરમ પૂજ્ય ઉષા મૈયા ના હસ્તે લક્કી ડ્રો દ્વારા વિજેતા ને સોનાનો સિક્કો અર્પણ કરાયો હતો.
તેમજ ૨૧૦૦ કિલો લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. મહા આરતી માં પરમ પૂજ્ય ઉષા મૈયા (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ), નારણદાસ સાહેબ (કબીર ટેકરી), કરસનદાસ બાપુ (કુંડલપુર હનુમાનજી મંદિર), સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ડી.વાય.એસ.પી હરેશ વોરા, પી.આઇ. એસ.એમ. સોની તેમજ દાતાઓ હાજર રહ્યા હતા.મહા આરતી પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર દાદા ની શાહી સવારી લાઈવ નાસિક ઢોલ ના સથવારે વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. સદભાવના ગ્રુપ દ્વારા તમામ દાતાઓ તેમજ મહા આરતી માં આવેલ ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સદભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિમાં એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પલાઇન, મેડિકલ સાધનો, મોક્ષ રથ, ઓક્સિજન કીટ, ડેડબોડી ફ્રીઝર, જેવી ૮ સેવાકીઓ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.
Recent Comments