અમરેલી

સનાળી તેમજ કોલડા ગ્રામજનોની કાયમી સમસ્યા હલ કરતા : શ્રી પરેશ ધાનાણી

કુંકાવાવ તાલુકાના સનાળી તેમજ કોલડા ગામે બસ સ્ટેશન બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા :શ્રી ધાનાણી

માન. વિરોધપક્ષના નેતા અને અમરેલીના લોક લાડીલા કોંગ્રેસના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી પોતાની ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટ માંથી કુંકાવાવ તાલુકાના સનાળી તેમજ કોલડા  ગામે બસ સ્ટેશન બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા સનાળી તેમજ કોલડા ગામના ગ્રામજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે, બસ સ્ટેશન બનવાથી લોકોની કાયમી સમસ્યા હલ થશે.તેમજ સનાળી તેમજ કોલડા ગામના  સરપંચશ્રી તથા  ગ્રામજનો એ ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભર માન્યો હતો.

Related Posts