દામનગર શહેર ભાજપ કિસાન મોરચો પ્રમુખ જયંતીભાઈ બાલાભાઈ નારોલા એ અમરેલી ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા સહિત ને પત્ર પાઠવી પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે તે માટે રજુઆત કરી સરકારશ્રી દ્વારા ૧ ડિસેમ્બર ૨૦૧૮ થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ જે યોજના અંતર્ગત ખેડૂતો ના ખાતા માં વાર્ષિક ૫૦૦૦/- ની સહાય ડી.બી.ટી મારફત જમા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી દામનગર તેમજ લાઠી વિસ્તાર ના ખેડૂતો ને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ ના ખાતા માં આ યોજના હેઠળ રકમ જમા થયેલ નથી જેથી સરકારશ્રી ની આ યોજના નો લાભ વહેલી તકે તમામ લાભાર્થીઓ મળી રહે તે અંગે વહેલી તકે આપની કક્ષાએ થી યોગ્ય કાર્યવાહી કરવાઅધિક મુખ્ય સચિવ, કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કલેક્ટર સાહેબ, કલેકટરશ્રી અમરેલી પ્રાંત અધિકારી લાઠી મામલતદાર લાઠી કૌશિકભાઈ વેકરીયા નાયબ મુખ્ય દંડક-ગુજરાત રાજ્ય, ગાંધીનગરસાંસદ સભ્યશ્રી નારણભાઇ કાછડિયા અમરેલી જિલ્લો જનકભાઈ તળાવિયા સહિત ને પત્ર પાઠવી આ પ્રશ્ન સંદર્ભે યોગ્ય નિકાલ થવા રજુઆત કરી હતી
સમગ્ર લાઠી દામનગર તાલુકા ના ખેડૂતો ને કિસાન સન્માન નિધિ નો હપ્તા માટે કિસાન મોરચા ના જ્યંતી નારોલા ની રજુઆત

Recent Comments