વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી સરકારશ્રી ની વિવિધ યોજના વિશે જાણકારી મળી રહે અને તેનો લાભ સર્વે લઇ શકે તે અર્થે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજનાઓમાં NFSA ની યોજના નો પણ સમાવેશ થાય છે. ભાવનગરના વતની અને દીરપ ચોક નજીક રહેતા શ્રીમતી બાલુબેન સાગઠીયા આ યોજના નો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત તેમને ઘઉં અને ચોખા વિનામૂલ્યે મળે છે અને ખાંડ, તેલ, ચણા અને મીઠું રાહત દરે મળે છે.આ યોજના થકી શ્રીમતી બાલુબેન સાગઠીયા નું જીવન વધુ સરળ બન્યું છે તે બદલ તેઓ સરકારશ્રી નો આભાર માને છે.
Recent Comments