અમરેલી જિલ્લા ના ચિતલ ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૬૫ મો નેત્રયજ્ઞ સ્વ. સમાજ સેવક વજુભાઈ સેજપાલ ની સ્મૃતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે યોજાયો જેનું ઉદ્દઘાટન ઉષાબેન સેજપાલ ના હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે વિદ્યા ભારતી ના રાજેશભાઈ કાસુન્દ્રા, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સુરેશભાઈ પાથર ચીતલ ના અગ્રણી મનુભાઇ દેસાઇ જવતગઢ ના સરપંચ અશોકભાઈ માગરોળિયાઉપ સરપંચ જે.બી.દેસાઈ ,રઘુવીરસિંહ સરવૈયા , વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા , અગ્રણી વેપારી લાભુભાઇ કર્તાડિયા, અગ્રણી વેપારી વિમલભાઈ સેજપાલ અને પિયુષ ભાઈ સેજપાલ વગેરે ઉપસ્થિત રહેશે. નેત્રયજ્ઞ ને સફળ બનાવવામાં સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા માર્ગદર્શન હેઠળ સંયોજક બીપીનભાઈ દવે, રાજુભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ કથિરિયા, છગનભાઈ પટેલ, ખોડુભાઈ ધધુકીય, હસુભાઈ ડોડીયા, સંજયભાઈ લીમ્બાચીયા, દિવ્યેશભાઈ બોદર ,પ્રવીણ ચૌહાણ, વગેરે નેત્રયજ્ઞ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલ માં ૬૫ મોં નેત્રયજ્ઞ વજુભાઈ સેજપાલની સ્મૃતિમાં યોજાયો

Recent Comments