રાજસ્થળી ગામના દર્દી પિનલબેન મનુભાઈ કારેલીયા ઊ.વ.૨૦ જેઓને તારીખ ૨૯/૦૭/૨૦૨૩ વહેલી સવારે સર્પદંશ (કાળોતરોનાગ) કરડતા બેભાન અવસ્થામાં આશરે સવારે ૦૭:૪૫ વગ્યે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ઈમરજન્સી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવેલ. દર્દી ને સર્પદંશ ના ઝેરની અસર ખુબજ બધારે હોવાથી તરતજ ઓન ડ્યુટી મેડીકલ ઓફિસરે દર્દી ની ગંભીર પરિસ્થિતિની ડો.વિજય વાળા ને જાણ કરેલ તરતજ તેમને શ્વાસ ની નળી નાખીને વેન્ટીલેટર પર મુકવામાં આવેલ સારવાર ના પ્રથમ ત્રણ દિવસ દર્દી કોમાંમાં રહેલ. ત્રણ દિવસ પછી દર્દી ભાનમાં આવેલ આમ સાત દિવસ દર્દીને આઈ.સી.યુ. માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું. બાદમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયજતા તેમને ધરે તા.૦૮/૦૮/૨૦૨૩ ના તોજ ડીસ્ચાર્જ કરવામાં આવેલ. સેવાન્વીત કાર્ય બદલ દર્દી ના માતા, પિતા એ ડો.વિજય વાળા તથા તેમની સંપૂર્ણ ટીમ તથા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના પ્રણેતા ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા, ડીરેક્ટર એકતાબેન ગજેરા અને ગજેરા પરિવાર એવમ ડોક્ટર્સ અને જનરલ હોસ્પીટલ ના સ્ટાફનો સહદયસ્થ આભાર વ્યક્ત કરાયો.
સર્પદંશ ના દર્દીનો આબાદ બચાવ કરતા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના ડૉ. વિજય વાળા

Recent Comments