ભાવનગર

સવા પાંચ લાખ મંત્ર આહુતિ સાથે હોમ યજ્ઞ

ઠળિયા ગામ નજીક આવેલા ગૌ ધામ કોટીયા ખાતે શ્રાવણ માસ નિમિત્તે મહામૃત્યુંજય જપ હોમ યજ્ઞ શરૂ રહ્યો છે. આ યજ્ઞમાં એક માસ દરમિયાન સવા પાંચ લાખ મંત્રો સાથેની આહુતિઓ આપવામાં આવશે.આ માટે અહીં દરરોજ હોમ યજ્ઞ શરૂ થયો છે. અહીંના મહંત થાણાપતિ પ. લહેરગીરીબાપુના સાનિધ્યમાં વાંસમાંથી અને ગાયના છાણના લીપળથી ખાસ બનાવાયેલ યજ્ઞ શાળા ખાતે હોમ-યજ્ઞ આખો શ્રાવણ માસ સુધી સતત શરૂ રહેશે.

જેનું સમાપન ભાદરવી અમાસના રોજ થશે. ગોધામ કોટીયાના જંગલમાં મંગલ સમાન ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ભજન અને સંતવાણી નું ભવ્ય આયોજન પણ થાય છે. આ સાથે ભાવિક ભક્તજનોને યજ્ઞ નારાયણના દર્શન સાથે ભજન,ભોજન-પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts