અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસથી મહુવા–બાંદ્રા અને મહુવા–સુરત ટ્રેનમાં ફસ્ટ કલાસ એસી કોચ લાગશે

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા જીલ્લાના લોકોને રેલ્વેની સુવિધાનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે, ત્યારે સાંસદશ્રીના પ્રયાસથી અમરેલી જીલ્લાના સુરત અને મુંબઈ સુધી મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સુવિધાને મંજુરી મળવા પામેલ છે. સાંસદશ્રી દ્રારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ ગત તા. ર૪/૦ર/ર૦ર૩ ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ જનરલ મેનેજર, વેસ્ટર્ન રેવે , મુંબઈ સાથેની બેઠકમાં કરવામાં આવેલ અસરકારક રજુઆતના અનુસંધાને આગામી તા. ૦૮ માચથી મહુવા–બાંદ્રા અને ૦૯ માર્ચથી મહુવા–સુરત સુપર ફાસ્ટ ટ્રેનોમાં ફસ્ટ કલાસ એસી કોચ જોડાશે અને તેનો લાભ યાત્રીઓને મળતો થશે.

આ તકે સાંસદશ્રીએ વિશેષમાં જણાવેલ હતુ કે, અમરેલી સંસદીય ક્ષેત્રમાં સુરેન્દ્રનગરથી પીપાવાવ, મહુવાથી રાજુલા અને ઢસાથી જેતલસર બ્રોડગેજ સેકશન આવે છે. જમાંથી સુરેન્દ્રનગર–પીપવાવ સેકશન પહેલેથી જ ઈલેકટ્રીફાઈડ છે અને તેના પર ટ્રેનો દોડી રહી છે. તેમજ વર્તમાનમાં મહુવા–રાજુલા સેકશનમાં ઈલેકટ્રીફીકેશનનું કામ પ્રગતિમાં છે અને આ કામ માર્ચ–ર૦ર૩ અંતીત પૂર્ણ થશે. જેથી એપ્રિલ મહિનામાં આ સુવિધાનો પણ લોકોને લાભ મળતો પ્રાપ્ત થશે. તેમજ ઢસા–જેતલસર લાઈન ઉપર પણ ઈલેકટ્રીફીકેશનનું કાર્ય પ્રગતિમાં છે અને આ કામ પણ ડીસેમ્બર–ર૦ર૩ સુધીમાં પૂર્ણ થઈ જાય તે માટે રેલ્વે વિભાગ સાથે સંકલનમાં રહી સતત દેખરેખ રાખવવામાં આવી રહી છે.

Related Posts