આંધ્ર પ્રદેશના રાજકારણમાં અનેક હલચલ જોવા મળી રહી છે. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે દ્ગડ્ઢછને ટેકો જાહેર કર્યો છે. તેમણે આંધ્ર પ્રદેશમાં ટીડીપી-જનસેના-ભાજપ ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. નોંધનીય છે કે ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણે જ જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી.
તેમના ભાઈ અને જાણીતા અભિનેતા પવન કલ્યાણ અને તેમની પાર્ટી જનસેના પહેલાથી જ એનડીએ ગઠબંધનનો ભાગ છે. ચિરંજીવી કાપુ જ્ઞાતિમાંથી આવે છે, તે આંધ્રમાં પછાત વર્ગ છે જે લગભગ ૧૫% મતની ટકાવારી ધરાવે છે. જો એનડીએ ગઠબંધનને આ મત મળે તો માત્ર વિધાનસભા ચૂંટણી જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ મોટી ઉથલપાથલ થઈ શકે છે. આનો સૌથી વધુ ફાયદો ભાજપને થશે.આંધ્ર પ્રદેશમાં ૨૫ લોકસભા બેઠક અને વિધાનસભાની ૧૭૫ બેઠકો માટે ચોથા તબક્કામાં (૧૩મી મે) મતદાન થશે. લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.
Recent Comments