બોલિવૂડ

સાઉથનો આ સ્ટાર કોમામાં જતા Jr NTR ના પરિવારમાં ગમગીન માહોલ બન્યો

આ દિવસોમાં સાઉથ એક્ટર જુનિયર એનટીઆરને લઈને ખુશીનો માહોલ હતો. તેની ફિલ્મ ‘ઇઇઇ’ ઓસ્કારની રેસમાં સૌથી આગળ હતી. ત્યાં જ અભિનેતાનું નામ પણ આ એવોર્ડમાં ટોપ લિસ્ટમાં હતું. ચાહકો અને તેનો પરિવાર ઉજવણી કરી રહ્યો હતો. હવે આ દરમિયાન અભિનેતા વિશે ખરાબ સમાચાર આવી રહ્યા છે કે તેના પિતરાઈ ભાઈ અને અભિનેતા તારક રત્નને હાર્ટ એટેક આવ્યો છે. તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તારકની હાલતમાં કોઈ સુધારો નથી અને તેની હાલત સ્થિર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે કોમામાં છે. જાે મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો તારક રત્ને તેમના પિતરાઈ ભાઈ નારા લોકેશની પદયાત્રામાં ભાગ લીધો હતો.

નારા લોકેશ તેમના કાકા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર છે. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને તબીબી સારવાર આપવામાં આવી. તેના કાકા અને ટોલીવુડ સ્ટાર બાલકૃષ્ણ નંદામુરીએ ખુલાસો કર્યો કે તારક સારવાર હેઠળ છે અને તેના પૈરામીટર સામાન્ય છે. તેની સારવાર કરવામાં આવી રહી છે અને તેના પૈરામીટર સામાન્ય છે અને તે કોમામાં છે. તારક રત્ન ‘અમરાવતી’ અને વેબ સિરીઝ ‘૯ અવર્સ’માં તેમના કામ માટે જાણીતા છે.

તે જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ છે. તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆર પણ પોતાના ભાઈને જાેવા માટે રવિવારે બેંગલુરુ પહોંચ્યો હતો. ચંદ્રબાબુ નાયડુની સાથે કલ્યાણ રામ અને તેમના પરિવારજનો પણ તેમની હાલત પૂછવા પહોંચ્યા હતા. નંદમુરી તારક રત્ન જુનિયર એનટીઆર અને ‘બિંબિસાર’ અભિનેતા કલ્યાણ રામના પિતરાઈ ભાઈ છે. એટલું જ નહીં તેઓ નંદામુરી તારકા રામારાવના પૌત્ર પણ છે, જેઓ આંધ્ર પ્રદેશ (યુનાઇટેડ)ના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તારક રત્નાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૦૩માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમની રોમેન્ટિક ફિલ્મ ‘ઓકાતો નંબર કુર્રાડુ’ રીલિઝ થઈ હતી. આ પછી અભિનેતા ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે જાેવા મળ્યો હતો. તે ‘અમરાવતી’માં ખલનાયકની ભૂમિકા ભજવીને પણ ખૂબ પ્રખ્યાત થયો હતો. તે (૨૦૦૯) માં રિલીઝ થઇ હતી. તેમણે ડિજિટલ ડેબ્યૂ પણ કર્યું છે. તેમણે ગયા વર્ષે ‘૯ અવર્સ’ નામની વેબ સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Related Posts