રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૧૦ દિવસીય સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તા.૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાઓએ અરજી કરવી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓમાંથી યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી પસંદગી સમિતિ દ્વારા થશે. યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવાર પસંદ કરી આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે, પસંદગી પામનારને નિવાસ, ભોજન સહિતની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે.
આ માટે અરજી કરવી અથવા dydoamreli blogspot.com પરથી નિયત નમૂનાનું ફોર્મ મેળવવું. ફોર્મમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એનસીસી-પર્વતારોહણ કે રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તે વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, વાલીની સહમતિ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, ઓળખ કાર્ડ અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તે વિગત વગેરે બાબતો દર્શાવતી અરજી તા.૨૧-૯-૨૦૨૪ સુધીમાં, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રુમ નંબર ૧૧૦-૧૧૧ અમરેલી પિન નં.૩૬૫૬૦૧ને મોકલી આપવી. કાર્યક્રમની વધુ વિગતો માટે ટેલિફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments