આજ સુધી જૂનાગઢના ઇતિહાસમાં કદી સાધુ-સંતોમાં ન બની હોય તેવી ઘટના શિવરાત્રિના મેળામાં બનવા પામી છે જેમાં સાધુઓને મહામંડલેશ્વર ની પદવી મોટાભાગે કુંભ ના મેળા ઓ માં જ તેના આચાર્ય દ્વારા આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે જૂનાગઢના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખી શકાય તેવી ઘટના બની છે ભારતી આશ્રમ ના મહંત અને વિશ્વમ ભારતી બાપુ ના શિષ્ય એવા હરિહરાનંદ ભારતી બાપુ ને મહામંડલેશ્વર ની પદવી જૂનાગઢ ખાતે અવધેશાનંદ જી આચાર્ય દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ઘાટવડ અને જૂનાગઢના મહંત ઇન્દ્રેશ્વર ઇન્દ્રભારતી બાપુ ના શિષ્ય મુક્તાનંદ ભારતીને પણ મહામંડલેશ્વર ની પદવી આપવામાં આવી છે અને આ પદવી સમારંભ દરમિયાન સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો ના મુખ્ય એવા તમામ અધિકારી ગણો અને અખાડાઓના વિવિધ હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો ના જણાવ્યા પ્રમાણે આ વિધિ કુંભ મેળા સમયે જ થતી હોય છે પરંતુ મહામંડલેશ્વર ના આચાર્ય એવા અવધેશાનંદ સ્વામી એ ખુદ જૂનાગઢ આવી અને બંને સાધુઓને મહામંડલેશ્વર ને પદવી એનાયત કરી છે
સાધુ સંતોના ઇતિહાસમાં સૌપ્રથમવાર 2 સંતોને મહામંડલેશ્વરની પદવી જૂનાગઢમાં અપાઈ

Recent Comments