રાષ્ટ્રીય

સારણમાંથી એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો…

છપરામાં વરરાજાે આવ્યો હતો મોટી બહેનને પરણવા, પણ નાની બહેને ડ્રામા કર્યો અને તેને જ વિદાઈ આપી

છપરાના સારણમાંથી એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વરરાજાે આવ્યો હતો મોટી બહેનને પરણવા, પણ નાની બહેને એવો ડ્રામા કર્યો કે, તેને જ વિદાઈ આપી દીધી. આ અનોખા લગ્નમાં જાન લઈને પહોંચેલા વરરાજાએ પોતાની થનારી સાળી સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન સારણ જિલ્લાના માંઝીમાં આવેલ ભભૌલી ગામનો છે. જ્યાં મોટી બહેન સાથે લગ્ન કરવાની ના પાડ્યા બાદ વર અને વધુ પક્ષ વચ્ચે ભારે ડખ્ખો થયો. બાદમાં લોકોના ટોળા અને પોલીસની હાજરીમાં તાત્કાલિક પંચાયતે નાની બહેન સાથે વરરાજાના લગ્ન કરાવ્યા અને હેમખેમ જાન વળાવી. હકીકતમાં જાેઈએ તો, છપરા શહેરના બિનટોલી રહેવાસી જગમોહન મહતોના પુત્ર રાજેશ કુમારની જાન ભભૌલી ગામે આવી હતી. રિંકૂ કુમારીના પિતા રામુ બિને પોતાના દરવાજા પર શ્રદ્ધા તથા ક્ષમતા અનુસાર, જાનૈયાની સારી એવી આગતા સ્વાગતા કરી. બેન્ડવાજા સાથે હસતા હસતા પૂજાની વિધિ પુરી થઈ. સેકડો લોકોની હાજરીમાં વરમાળાની પ્રક્રિયા પુરી થઈ ગઈ. રાતમાં લગભગ ૧૧ કલાકે આંગણામાં કન્યા નિરીક્ષણનો પ્રસંગ ચાલી રહ્યો હતો,

તે દરમ્યાન દુલ્હનની નાની બહેન પુતુલ કુમારી ધીમેથી છત પર ચડી ગઈ અને છત પરથી વરરાજાને મોબાઈલ ફોન કરીને ધમકી આપી કે જાે તે મારી સાથે લગ્ન નહીં કરે તો, છત પરથી કુદીને જીવ આપી દેશે. તો વળી આ બાજૂ વરરાજાએ તાત્કાલિક કન્યા નિરીક્ષણથી પોતાના પરિવાર તથા સંબંધીઓને જનવાસમાં પાછા બોલાવી લીધા. આ દરમ્યાન જનવાસમાં બંને પક્ષના લોકો બેન્ડવાજા જાેવામાં મસ્ત હતા. જાનૈયા પણ આ અજીબોગરીબ હરકત જાેઈને ત્યાં આવી પહોંચ્યા. થોડીવારમાં બોલાચાલી અને બાદમાં મારપીટ શરુ થઈ. બંને પક્ષના લોકો એકબીજા સાથે ગુથમગુથી આવ્યા. ભાગદોડ મચી ગઈ. બેન્જવાજાવાળા પણ પોતાનો સામાન સમેટીને ભાગવા લાગ્યા. આ દરમ્યાન અમુક લોકો વચ્ચે પડ્યા અને મામલો શાંત પાડ્યો. આ દરમ્યાન જાનૈયા અને વરરાજાને મંડપમાં બંધક બનાવી લીધા. અફરા તફરી મચી તો, કોઈએ માંઝી પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દીધી

. ઘટનાની જાણકારી લીધા બાદ પોલીસે મુખ્યા પતિ શૈલેશ્વર મિશ્રાને બોલાવ્યા અને આ મામલામાં પહેલ કરવા માટે જણાવ્યું. પોલીસ તથા પરિવારને આગ્રહ કર્યો કે, મિશ્રા ઉપરાંત બસપા નેતા લક્ષ્મણ માંઝી તથા મંજીત કુમાર સિંહે બંને પક્ષના પરિવારના તથા વરરાજા સાથે વાત કરી. બાદમાં બંને પક્ષ ઉપરાંત દુલ્હને પણ નાની બહેન પુતુલ કુમારી સાથે વરરાજા રાજેશ કુમાર સાથે લગ્ન કરાવાની હા પાડી દીધી. પંચાયત પુરી થઈ અને લગ્ન માટે બંને પક્ષથી ગોર મહારાજને શોધવા નીકળ્યા. આ ઝપાઝપી થઈ તેમાં ગોર મહારાજ સામાન લઈને ઘરે નીકળી ગયા હતા. બાદમાં લોકોના કહેવા પ્રમાણે બ્રાહ્મણ સરપંચે સિંદૂર દાનની રસમ પુરી કરી અને જાનને હેમખેમ વળાવી દીધી.

Related Posts