અમરેલી

સારહી તપોવન આશ્રમ ખાતે શરદપુનમ નાં પવિત્ર દિવસે “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ” માં સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધ કન્યા છાત્રાલય નાં બાળકો યજ્ઞમાં આહુતી આપશે.

“નિરાધારનો આધાર સારહી તપોવન આશ્રમ ખાતે સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણીનાં સંકલ્પ અનુસાર તપોવન આશ્રમનું નિર્માણકાર્ય થાય ત્યા સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવે છે. આ વખતે તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવાર અને શરદપુનમ નાં પવિત્ર દિવસે નવનિર્મિત બિલ્ડિંગનાં હોલમાં “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ”સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધકન્યા છાત્રાલય-મણિનગર નાં બાળકો યજ્ઞમાં આહુતી આપશે. જેથી શરદપુનમ નાં પવિત્ર દિવસે સારહી તપોવન આશ્રમમાં યોજાનાર યજ્ઞનાં દર્શનનો સમય તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુધીનો રહેશે.તેમ યાદી જણાવે છે

Related Posts