ગુજરાત

સાળંગપુર વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઈ કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાનું નિવેદનઆવા વિવાદો એ દુર્ભાગ્યપુર્ણ છે, એ નહીં થવુ જાેઈએ : પરષોત્તમ રુપાલા

સાળંગપુર વિવાદ ખૂબ ચર્ચામાં છે. વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઈ ખૂબ જ ચર્ચાઓ દેશભરમાં શરુ થઈ છે. જાેકે આ દરમિયાન હવે આ ભીંતચિંત્રો દૂર કરવાને લઈ આશ્વાસ આપવામાં આવ્યુ છે. જાેકે આ વિવાદો વચ્ચે આગેવાનો અને અન્ય લોકોએ પોતાના મત રજૂ કરવાને લઈ આ મામલો ખૂબ જ વિવાદોમાં રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાએ આ દરમિયાન વડોદરામાં નિવેદન કર્યુ હતુ કે, આવા વિવાદો દુર્ભાગ્યપૂર્ણ છે.

પ્રધાન રુપાલાએ જાેકે આ વિવાદથી પોતાને દૂર રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેઓએ વડોદરામાં એક સહકારી મંડળીના સંદર્ભના કાર્યક્રમ વેળાએ મીડિયાના સવાલને જવાબ આપતા કહ્યુ હતુ કે, આજે મંગલ પ્રસંગે અહીં તેઓ આવ્યા છે અને અહીંથી આ વિવાદથી થોડા દૂર રહીએ. આવા વિવાદો એ દુર્ભાગ્યપુર્ણ છે, એ નહીં થવુ જાેઈએ.

Related Posts