અમરેલી

સાવરકુંડલાથી લીલીયા તરફ જતી રેલવે લાઈન પર રેલવેના પાયલોટની સમય સૂચકતાના કારણે સિંહનો જીવ બચ્યો

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. લીલીયા,સાવરકુંડલા,રાજુલા અને પીપાવાવ પોર્ટ સુધી સિંહો માટે રેલવે લાઈન ટ્રેક અતિ જોખમી સાબિત થઈ રહ્યો છે. એક મહિના પહેલા સાવરકુંડલા નજીક રેલવે ટ્રેક પર આવી પહોંચેલા એક સિંહનું ટ્રેન અડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. 16 સપ્ટેમ્બરે આવી જ ઘટનાનું પુનરાવર્તન થતું અટક્યું હતું.

16 સપ્ટેમ્બર ના રોજ ટ્રેન PPSP/BPAG DP 12507 ના લોકો પાયલટ એસ.કે. સિંહા સાવરકુંડલા થી લીલીયા મોટા જતા હતા. ત્યારે રાત્રીના રેલવે ટ્રેક પર સિંહ આવી જતા થોડીવાર માટે સ્પીડની ગતિ ઓછી કરવામા આવી હતી. પરંતુ સિંહ દૂર ના થતા ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકવામા આવી હતી. રેલવે વિભાગના પાયલોટની સમય સૂચકતાના કારણે સિંહનો જીવ બચી ગયો હતો.

પીપાવાવ-રાજુલા જંકશન રેલવે ટ્રેક પર ફેન્સિંગ રીપેરીંગ કરવા વનવિભાગને જાણ કરીપીપાવાવથી રાજુલા જંકશન સુધી વર્ષો પહેલા રેલવે ટ્રેક આસપાસ સિંહોના અકસ્માત અટકે તે માટે કરોડોના ખર્ચ કરી ફેન્સિંગ કરી હતી, તે ફેન્સિંગ કેટલીક જગ્યાએ તૂટી ગઈ હોવાથી સિંહોની સુરક્ષાની ગંભીરતા દાખવી રેલવે વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરી દેવાય છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

સાવરકુંડલા-લીલીયા રેલવે ટ્રેક ખુલ્લો હોવાથી સિંહના મોત થાય છેસાવરકુંડલા- લીલીયા અને રૂલર વિસ્તારમાં રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ નહિ હોવાને કારણે અગાવ ભૂતકાળમાં સિંહોના ટ્રેન હડફેટે મોત થયા છે થોડા દિવસો પહેલા પણ સિંહ નું ટ્રેન હડફેટે મોત થયુ હતુ. સાવરકુંડલા વનવિભાગ રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ નહિ કરતા વનવિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. રેલવે ટ્રેક પર સિંહ આવતા વનકર્મી અને રેલવે ટ્રેકરની ગેર હાજરીના કારણે રેલવે વિભાગ દ્વારા સિંહને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ છે

Related Posts