સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સર્વેશ્વર એજ્યુકેશન એન્ડ ગીરધરવાવ ખાતે ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત તાલુકાની શિક્ષણપ્રેમી જનતા અને વાલીઓની હાજરીમાં સરસ્વતી વિદ્યામંદિર સાવરકુંડલાનો ભવ્ય અને દિવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ તકે પૂ.ભક્તિરામબાપુ માનવમંદિર અને સાવરકુંડલા શહેરના અગ્રણીઓ જનસમુદાયની હાજરીમાં વાર્ષિકોત્સવની સાથે વર્ષ દરમ્યાન અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલ ૧૫૦થી વધારે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ. ધોરણ ૧૦ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો વિદાય સમારંભ પણ રાખેલ. શાળામાં બાલમંદિરથી ધોરણ ૧૦ ની કુલ ૩૩૦ જેટલી સંખ્યા છે જેમાંથી ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધેલો કૃતિઓમાં લુપ્ત થતા કાઠીયાવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ટિપ્પણી રાસ, અર્વાચીન ગરબો, કોમેડી ડાન્સ, માતૃત્વને વંદન કરતો ડાન્સ, તલવારબાજી પટ્ટાબાજીની રમઝટ, દેશભક્તિથી છલકાતો ડાન્સ, પિરામિડના કરતબો વગેરે જેવી કૃતિઓ રજૂ કરી મંત્રમુગ્ધ બન્યા હતા. પ. પૂ ભક્તિરામબાપુએ આશીર્વચન પાઠવતા શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ તકે શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે આવેલ સરસ્વતી વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો.

Recent Comments