વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ ની જાળવણી પશુ પક્ષીઓ અને લોકો માટે છાંયડો કરવા મહંત તપસીગીરી બાપુ સંભાળ લઈ રહયાછે.સાવરકુંડલાના વિજ્યાનગર ગામના રોડ પર સાવરકુંડલાથી ચાર કિલોમીટર દૂર શેણીયા ખોડિયાર ડેમના કાંઠે આવેલ સુપ્રસિધ્ધ તપસીગીરી બાપુના આશ્રમ ની આસપાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે રક્ષના માટે વૃક્ષો વાવવા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપીછે.સાવરકુંડલા શેણીયા ડેમના કાંઠે આવેલ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડા ના સાધુ તપસીગીરીબાપુ ગુરૂ ગંગાગીરીબાપુ દ્વારા પોતાના એકલા હાથે 108 વૃક્ષો વાવી દરરોજ વૃક્ષોને પાણી આપવું, પવન ના હિસાબે રોપા ઢળી ન જાય તે માટે ટેકા લગાડવા, અમુક વૃક્ષોને પશુ દ્વારા નુકશાન ન કરે તે માટે ટ્રી ગાર્ડ પીંઝરા લગાડવા, વૃક્ષોને સારી રીતે પાણી મળી રહે તેમાટે ખામણા કરવા, ખાતર નાખવું વગેરે નું સતત માવઝત કરી રહ્યાછે અને વૃક્ષો નો ઉછેર કરી રહયાછે પૂજ્ય મહંત તપસીગીરી બાપુએ વૃક્ષોને પણ પરોપકારી સંત ગણાવ્યાછે અને તે 108 વૃક્ષોની સંભાળ લઈ રહ્યાછે સંત તપસીગીરી બાપું અને તેમના સેવકો જયેશભાઈ માટલીયા, હરેશભાઇ સગર, લાલભાઈ ભરવાડ જાબાળ, ભાકુભાઈ દેગામા, બટુકભાઈ ઉનાવા, રમેશભાઈ ડુબાનિયા વગેરે દ્વારા સાવરકુંડલા તાલુકાના મોટાઝીઝુડા ગામ ખાતે આવેલ સરકારી નર્સરી માંથી પશુ, પક્ષીઓ અને રાહદારીઓને છાંયડો મળી રહે અને પર્યાવરણ ની જાળવણી માટે 108 વૃક્ષોની સરકારી પડતર ડુંગરાળ જગ્યામાં વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવી રહ્યુંછે સંત તપસીગીરી બાપુ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માઁ કે નામ અભિયાન અને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ના અનોખા અભિયાન માં પોતાના સેવકો, સંતો ને જોડી વધુમાં વધુ વૃક્ષો વાવના સંકલ્પ બાબતે સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા પૂજ્ય સંત તપસીગીરી બાપુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાવરકુંડલાના સંતે 108 પરોપકારી સંત વાવી તેની માવઝત કરી ઉછેર કરી રહ્યાછે

Recent Comments