સાવરકુંડલાની કેળવણીકાર યુવતિ માનસી જયેશભાઈ જોષી દર વર્ષની જેમ આવર્ષે પણ અધિક માસ નિમિતે દરરોજ અલગ અલગ શણગારથી ઠાકોરજીના હિંડોળા દર્શનનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેમને ત્યાં ટ્યુશન કલાસીસમાં આવનાર બાળકોને ઉપયોગી સ્ટેશનરીની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી હિંડોળા દર્શન યોજી શિક્ષણને લગતી વસ્તુઓને બાળકોને પ્રસાદી રૂપે આપવામાં આવેછે એટલે જેથી વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસમાં ઉપયોગ કરી શકેછે ઠાકોરજી હિંડોળા દર્શનમાં દરરોજ પેન્સિલ, બોલપેન, સ્કેલ, ચેક રબ્બર ઈરેઝર, સ્કેલ, કપાસ, લંચ બોક્સ, સ્કેચ કલર, મિણીયા કલર તથા વિવિધ પ્રકારના ક્લરો, શાર્પનર- સંચા વગેરે અભ્યાસમાં ઉપયોગી ચીજવસ્તુઓનો શણગાર કરવામાં આવેછે તેમજ સુકામેવા, ફૂટ, ફૂલો, નાસ્તા, અનાજની ચીજવસ્તુઓ, વિવિધ દાળ, મિઠાઈ, ફરસાણ વગેરે વસ્તુઓના અને ત્યારબાદ તે ચીજવસ્તુઓ વિધાર્થી બાળકોને અર્પણ કરવામાં આવેછે સાવરકુંડલાના જેસર રોડ ખાતે શિક્ષણ લગતી ચીજવસ્તુઓના હિંડોળાના શણગાર અને ઠાકોરજીના દર્શન કરવા આસપાસમાંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાછે એમ અમીતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.
સાવરકુંડલાની યુવતી દ્વારા અધિક માસ નિમિતે દરરોજ ઠાકોરજી અવનવા હિંડોળાનો શણગાર કરવામાં આવી રહ્યો છે

Recent Comments