વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગતરોજ મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.નાનપણથી જ બાળકોમાં ગ્રાહક સુરક્ષા ધારાનાં હક્કો અંગે સમજ કેળવાય તે હેતુથી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. અહીં મણીભાઈ ચોક ખાતે આવેલ પે સેન્ટર શાળા નંબર ૨ ના વિશાળ સભાગૃહમાં આ શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ તેમજ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ હેતુ એક સેમિનાર યોજાયો હતો. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી તથા હર્ષદભાઈ જોશી દ્વારા ગ્રાહક સુરક્ષા સંબંધી વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ તકે શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ દ્વારા પણ બ્લેક બોર્ડ પર એક તજજ્ઞની માફક બાળાઓને સમજાય તેવી ભાષામાં ગ્રાહક સુરક્ષા સંબંધિત રસપ્રદ માહિતી પીરસી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ શિસ્ત અને શાંતિથી ઉપસ્થિત વકતાઓને ધ્યાનથી સાંભળ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સાવરકુંડલાની સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો.

Recent Comments