અમરેલી

સાવરકુંડલામાંથી અનઅધિકૃત કોવિડ કેર સેન્‍ટર ઝડપાયું

અમરેલી જિલ્‍લામાં કોરોના મહામારી સામે વહીવટી તંત્ર દ્વારા ઠેકઠેકાણે કોવિડ કેર સેન્‍ટર શરૂ કરવામાં આવી રહયા છે. ભભમારૂ ગામ કોરોના મુકત ગામભભ અભિયાન અંતર્ગત ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ કોવિડ કેર સેન્‍ટર શરૂ થયા છે.

દરમિયાનમાં સાવરકુંડલાના જેસર માર્ગ પર કોઈ શખ્‍સોએ વહીવટી તંત્રની મંજૂરી વગર જ કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી દીધું હતું. અને જયાં તબીબી સ્‍ટાફનો અભાવ હતો અને 8 દર્દીઓ સારવાર પણ લઈ રહયા હતા.

આ અંગે પ્રાંત અધિકારી આર.આર. ગોહિલે સ્‍થાનિક ટીમ સાથે તપાસ કરીને અનઅધિકૃત કોવિડ કેર સેન્‍ટરને ઝડપી લઈને સારવાર            લઈ રહેલ 8 દર્દીઓને સાવરકુંડલાના સરકારી દવાખાને ખસેડીને અનઅધિકૃત કોવિડ કેર સેન્‍ટર શરૂ કરીનેચલાવનાર વિરૂઘ્‍ધ  કાર્યવાહી શરૂ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

Related Posts