સાંપ્રત સમયમાં નાની ઉંમરના યુવાનોને હ્રદય રોગના હુમલાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવનારા નવરાત્રિના પાવન પર્વમાં ગરબા રમતાં ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો ઈમરજન્સી પહોંચી વળવા માટે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા નવરાત્રી અને ગરબી મંડળના આયોજકો માટે તારીખ ૧૨ ને ગુરૂવારે સી.પી.આર.માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસની એક યાદીમાં જણાવાયું છે
સાવરકુંડલામાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવરાત્રિ દરમિયાન હ્રદયની કાળજી લેવા માટે સીપીઆરની તાલીમ આપવામાં આવશે.

Recent Comments