સાવરકુંડલા ખાતે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા મશાલ રેલી નું આયોજન કરી દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો. સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનના શહીદ સ્મારક થી શરૂ થઈને આ મશાલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ મશાલ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપીને આ રેલીમાં જોડાયા હતા. રાષ્ટ્રપ્રેમના જુસ્સા અને ‘જવાનો અમર રહે, જય હિંદ’ ના નારાઓથી સમગ્ર સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ કારગિલ યુદ્ધ દરમ્યાન પોતાના પ્રાણ ની આહુતિ આપી છે તેવા વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથો સાથ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સાવરકુંડલામાં વસતા નિવૃત જવાનોને પણ સન્માન શાલ અને પુષ્પહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રેલી દ્વારા શહેરના લોકોએ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને દેશ માટે પોતાનું બલિદાન આપનાર શહીદો ને ભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
સાવરકુંડલામાં કારગિલ વિજય દિવસ ની 25મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજાઇ

Recent Comments