ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં પ્રત્યેક માતાપિતાની ઈચ્છા હોય છે તેનું બાળક સર્વશ્રેષ્ઠ બને. આજના સમય માં તણાવભર્યા વાતાવરણમાં બાળક સ્વસ્થ અને સુરક્ષિત રહી સુસંસ્કૃત બને તેમ જ બાળકમાં એકાગ્રતા, સર્જનાત્મકતા,આત્મવિશ્વાસ વધે એ માટે દરેક માતા-પિતા પ્રયત્નશીલ હોય છે. વર્તમાન સમયમાં બાળક વિવેકશીલ,અનુશાસિત બને અને સર્વાંગી વિકાસ સાધી શકે તેમ જ આધુનિક સમયમાં સુરક્ષિત રહે તે માટે ધ્યાન એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. તો સાવરકુંડલામાં તારીખ ૨૫, ૨૬,૨૭ મે, ૨૦૨૪ એમ ત્રણ દિવસ સવારે ૮ઃ૦૦ થી ૧૧ઃ૦૦ વાગ્યા સુધી કબીર ટેકરી ખાતે સાવરકુંડલા આ સમર કેમ્પ નું આયોજન થયું હતું. એમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા હતા.
આ સમર કેમ્પ માં બાળકોમાં રહેલી આંતરિક શક્તિ ને ઉજાગર કરવાની વિવિધ પ્રવૃત્તિઓ, ધ્યાન દ્વારા પોતાના અસ્તિત્વને ઓળખી ભીતરના અંતર આત્માનો અનુભવ અને આપણી સંસ્કૃતિને સમજી તેની સાથે જોડાવાની પ્રવૃત્તિઓ તેમજ જ્ઞાન સાથે ગમ્મત કરાવવામાં આવી હતી. આ સમયમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. ધ્યાન કરવાથી શારીરિક,માનસિક અને આધ્યાત્મિક અને સામાજિક દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે. આ સમર કેમ્પમાં માતા પિતા અને બાળકો સૌ જોડાઇ અને એક નવી અનુભૂતિનો અહેસાસ પણ બાળકોએ કર્યો હતો. આ કેમ્પમાં ૫૩ જેટલા બાળકો એ ભાગ લીધો હતો. આ સમર કેમ્પ ને સફળ બનાવવા માટે સાવરકુંડલાના બાળ વિકાસ કો-ઓર્ડીનેટર માધુરીબેન મસરાણી તેમજ સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી. બાળ વિકાસને લગતી કોઈ માહિતી માટે મો. ૯૪૨૬૯૯૯૭૦૦,૮૩૪૭૧૦૩૨૩૭ પર સંપર્ક કરી શકાય છે.
Recent Comments