સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ ભાજપ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો. સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટેની સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આ વર્ષે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1962 એમ્બ્યુલસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને રજૂઆત કરવામાં આવી હતી
આ રજુઆતને ધ્યાને લઈને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા તાત્કાલિક મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે એમ્બ્યુલન્સ કરુણા અભિયાન અંતર્ગત ૧૦ દિવસ માટે ફાળવવામાં આવી છે. ઘાયલ થયેલ પશુ પક્ષીઓ માટે આ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી પશુ પક્ષીનું રેસ્ક્યુ કરશે અને સારવાર આપવામાં આવશે. પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી જવાથી પશુ પક્ષીઓના જીવ બચી શકશે. આ કાર્યક્રમમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમના મહંત શ્રી ધુણેશ્વર ભારતી બાપુ, ભાજપ શહેર મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, જિલ્લા માલધારી સેલ પ્રમુખ મયુરભાઈ રબારી શહેર માલધારી સેલ બીજલભાઇ બતાડા નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન લાલભાઈ ગોહિલ નગરપાલિકા ચેરમેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ એમ્બ્યુલન્સ ચાલુ થવાથી પશુ પક્ષી પ્રેમીઓ અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના મિત્રો અને શહેરીજનો દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
Recent Comments