સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં હાલ સતત વરસાદ પડી રહ્યો છે જેમાં માં મોસમ નો કુલ વરસાદ ૩૫ ઇંચ જેટલો નોધાયેલ છે. તા.૨૮/૦૯/૨૦૨૧ તથા તા.૨૯/૦૯/૨૦૨૧ બે દિવસ નો ૭ ઇસ થી વધુ વરસાદ પડેલ છે જેના કારણે સાવરકુંડલા અને લીલીયા તાલુકા ગામો માં ઉપરવાસ આવેલ શેત્રુજી નદી ,ઢેબી,મુજીયાસર, અને ખોડીયાર ડેમ ના પાણી આવવા થી સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના ગામોમાં પાણી ફરીવળ્યા છે. અને ખેડૂતો નાં ખેતરો પાણીમાં ગરકાવ થયેલ છે અને ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે જેના કારણે ખેડૂતો ના પાકો ૧૦૦% નિષ્ફળ ગયેલ છે. તૌક્તે વાવાઝોડા ના ૫ માસ થવા છતાં હજુ ખેડૂતો તેના નુકશાની માંથી બહાર આવ્યા નથી ત્યાં ફરી આ વરસાદ ના સતત વરસાદ થી પોતાના પાકો પાણીમાં ગરકાવ થઇ ગયેલ હોય જેના કારણે ખેડુતોની સિસ્થી અંત્યંત દયનીય થવા પામેલ છે , પોતાના મતવિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો મોસમ નો કુલ વરસાદ ૨૫ ઇંચ થવાથી ૧૦૦ આની મુજબ અને અનુકૂળતા હોય છે જ્યારે હાલ પૂરી સીજન નો ૩૫ ઇંચ વરસાદ થવાથી તેમજ ખેડૂતોના ખેતરો માં પાણી ફરીવળતા ખેડૂતોના ઉભા પાકો ને ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયેલ છે જેના કારણે અતિવૃષ્ટિ થવા પામેલ છે જેમાં પોતાના મત વિસ્તાર ના ખેડૂતો ને ઘણું આર્થિક નુકશાની વેઠવી પડશે તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ખેડૂતો વધુ નુકશાની ની સામે સરકાર શ્રી વહેલીતકે સર્વે કરાવી સાવરકુંડલા અને લીલીયા તાલુકાને અતિવૃષ્ટિ જાહેર કરી ખેડૂતોને થયેલ નુકશાની આર્થિક પેકેજ જાહેર કરવા પત્ર પાઠવવા માં આવેળ છે.
સાવરકુંડલા અને લીલીયા તાલુકા હાલ સતત પડી રહેલ વરસાદના કારણે અતિવૃષ્ટિ જાહેર કરવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

















Recent Comments