રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે જેના ઉપક્રમે સાવરકુંડલા એસટી ડેપોને ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ચાર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે આમ તો સાવરકુંડલા ડેપોને નવી દસ બસ ફાળવવાની છે પણ આજે સવારે ૪ આવી ગઈ છે જેનું આજે બપોરે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા લોકાર્પણ કરવામાં આવ્યું હતું એસટી ડેપો ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા, ગ્રામ્ય ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા ગ્રામ્ય ભાજપ મહામંત્રી નીતિનભાઈ નગદીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ,ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ , સેનીટેશન ચેરમેન હેમાંગભાઈ ગઢિયા,જિલ્લા ભાજપ મહામંત્રી શરદભાઈ પંડ્યા સહિત કાર્યકરોની હાજરીમાં નવી આવેલ બસને શ્રીફળ વધેરી તેના ડ્રાઇવરોને મો મીઠુ કરાવી વિધિવત રીતે ચારેય બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર નથવાણીએ જણાવ્યા મુજબ નવી આવેલી બસોને લાંબા અંતરની સાવરકુંડલા ભુજ અને સાવરકુંડલા દાહોદના રૂટ ઉપર મૂકવામાં આવશે અને આજ સાંજથી જ રૂટ પર મુસાફરોની જનતા માટે દોડતી કરી દેવામાં આવશે એમ દીપકભાઈ પાંધી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
સાવરકુંડલા એસટી ડેપોમાં ચાર નવી બસોની ફાળવણી.

Recent Comments