અમરેલી

સાવરકુંડલા કબીર ટેકરીના મહંતનું અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પ્રયાણ…

 અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત ૮૦૦૦ લોકોને ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મહોત્સવમાં સાવરકુંડલા પંથકમાંથી  સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત નારાયણદાસ બાપુ ને ૨૨ તારીખે અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સાવરકુંડલા માટે એક ગૌરવની  બાબત છે. ૨૨ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા સાવરકુંડલા થી નારાયણદાસ બાપુને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સમગ્ર ધર્મપ્રેમી જનતા દ્વારા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ તથા દુર્ગાવાહિની ના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિરના દર્શન કરી સાવરકુંડલા ની જનતાના આશીર્વાદ મેળવી રવાના થયેલ છે. અયોધ્યા જઈ તેઓ સાવરકુંડલાની જનતાની સુખાકારી શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.

Related Posts